December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આજે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

આજે ગ્રામ પંચાયત વિસ્‍તારના વિવિધ શાખાના ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરાશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથી આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત પોતાના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે.
આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાના હેતુથી કેટલાક ગ્રેજ્‍યુએટ યુવાઓને સન્‍માનિત કરવામાં આવશે. જેમાં હાલમાં એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ પૂર્ણ કરનાર તથા ઈન્‍ટર્નશીપ કરી રહેલા ડોક્‍ટરો, નર્સિંગ ગ્રેજ્‍યુએટ, એન્‍જિનિયર તથા સ્‍નાતક સ્‍તરનો અભ્‍યાસ કરનારા નવયુવાનોને સન્‍માનિત કરાશે.
આ પ્રસંગે દમણ જિલ્લાના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહ મુખ્‍ય અતિથિ તરીકે અને દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો તથા સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહી સ્‍થાપના દિવસની શોભા વધારશે.

Related posts

ચીખલીના મજીગામમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડોનું રોકાણ કરાવી કરોડોનો ચૂનો ચોપડનાર સમર ગ્રુપના પાંચ શખ્‍સો સામે ફરિયાદઃ 3 શખ્‍સોની ધરપકડ

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

વાપી નોટિફાઈડ મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

vartmanpravah

Leave a Comment