April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

મહામહિમ રાષ્‍ટ્રપતિ જમ્‍પોર ખાતે એવીઅરી(પક્ષીઘર) નિહાળી મંત્રમુગ્‍ધ થયા

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું દમણ આગમન થતાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

કોસ્‍ટગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી મહામહિમ રાષ્‍ટ્રપતિનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આજે સુરત થઈ દમણ ખાતે આગમન થતાં કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉષ્‍માભર્યું અભિવાદન કર્યું હતું અને કોસ્‍ટગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી મહામહિમ રાષ્‍ટ્રપતિને સન્‍માનિત કરાયા હતા.
કોસ્‍ટગાર્ડ એરપોર્ટથી મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું મોટી દમણ ગવર્નર હાઉસ ખાતે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને સ્‍મૃતિ ચિહ્નની પણ ભેટ આપવામાં આવી હતી.
સમી સાંજે દેશના મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ મોટી દમણના જમ્‍પોર ખાતે એવીઅરી(પક્ષીઘર)ની મુલાકાત લીધી હતી અને પક્ષીઓ સાથે પોતાની આત્‍મિયતા પણ બતાવી હતી. રાષ્‍ટ્રપતિ મહોદય સાથે ઉપસ્‍થિત તેમના પ્રતિનિધિઓ પણ દેશી-વિદેશી ખુલ્લી હવામાં ઉડી રહેલાપક્ષીઓને નિહાળી અને તેમને પોતાના હાથ ઉપર બેસાડી ખુબ જ રોમાંચિત થયા હતા.
મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ અને નેશનલ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(નિફટ) પરિસરની પણ મુલાકાત લીધી હતી અને આા સંસ્‍થાઓની આધુનિક સુવિધાઓ તથા શૈક્ષણિક માળખાની જાણકારી મેળવી વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત અને સમર્પણ સાથે તેમના ધ્‍યેયો સિદ્ધ કરવા પ્રોત્‍સાહિત કર્યા હતા. રાષ્‍ટ્રપતિ મહોદયની સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના ગિરનારા ગામે વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટકતા અનેક ઘરના છાપરા ઉડયાઃ તબાહી મચાવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્‍યા ટૂંક જ સમયમાં દૂર થશે

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ એન.એસ.એસ. દ્વારા ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં સૈનિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment