January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અખંડ જ્‍યોતિના 100વર્ષ પૂર્ણ અને વંદનીય માતા ભગવતી દેવી શર્મા શતાબ્‍દી વર્ષ 2025મા 100વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જ્‍યોતિ કળશ રથયાત્રા હરિદ્વારથી દાદરા નગર હવેલીમાં ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની શરૂઆત ભીલાડથી થઈને વલવાડા, બોરીગામ, નરોલી બાદ તિરૂપતિ નગર, પાર્કસીટી અને પ્રમુખ ગાર્ડનમાં ભ્રમણ કરી બીજા દિવસે આમલી શાકભાજી માર્કેટ, સરસ્‍વતી ચોક, હનુમાન મંદિર, યોગી હિલ, એકદંત સ્‍કવેર, તિરૂપતિ રેસીડન્‍સી અને ત્રીજા દિવસે સેલવાસના પ્રમુખ આંગન, પટેલ ફળિયા, સામરવરણીથી મનોરથ સોસાયટી સેલવાસમાં ભ્રમણ કરી હતી. આ ‘જ્‍યોતિ કળશ રથ યાત્રા’નું આયોજન ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેના દર્શનનો લાભ મોટી સંખ્‍યામાં સનાતની ભાઈ-બહેનોએ લીધો હતો.

Related posts

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રજૂ કરેલી પ્રદેશના વિકાસની ગાથા- પ્રધાનમંત્રીના આશીર્વાદ અને ગૃહમંત્રીની પહેલથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની થઈ રહેલી સતત કાયાપલટ

vartmanpravah

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજય

vartmanpravah

Leave a Comment