July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લામાં 19 ડિસેમ્‍બરથી 24 ડિસેમ્‍બર, 2024 સુધી ‘‘સુશાસન સપ્તાહ”(Good Governance) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આજે નાની દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલની ઉપસ્‍થિતિમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે નાગરિકોની વિવિધ ફરિયાદો અને સમસ્‍યાઓના સમાધાન માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્‍યા હતા.
શિબિરમાં કુલ 76 ફરિયાદો મળી હતી, જેમાંથી 76 ફરિયાદોનો તાત્‍કાલિક સ્‍થળ ઉપર નિકાલ કરવામાં આવ્‍યો હતો. બાકી રહેલી ફરિયાદોના નિકાલ માટે સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્‍યા હતા.
આ શિબિર શાસનને નાગરિકોની નજીક લાવવા અને તેમના જીવનને સરળ અને સુગમ બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. ‘પ્રશાસન ગાંવ કી ઓર’ પહેલનો ઉદ્દેશ્‍ય ગ્રામીણ અને ઊંડાણના વિસ્‍તારોમાં પ્રશાસનિક સેવાઓની સગવતા સુનિヘતિ કરવાનો છે.
આ અવસરે અધિકારીઓએ સ્‍થાનિક ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અને તેમની સમસ્‍યાઓને સમજી લીધાં બાદ તેના સમાધાન માટેતત્‍પરતા દર્શાવી હતી. શિબિરમાં વિવિધ વિભાગો દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવી હતી. જેમાં મહેસૂલ, આરોગ્‍ય, શિક્ષણ અને સામાજિક કલ્‍યાણ સહિત સબંધિત સેવાઓ મુખ્‍ય હતી.
‘સુવ્‍યવસ્‍થિત શાસન સપ્તાહ’નું આ આયોજન પ્રધાનમંત્રીશ્રીના ‘ન્‍યૂનતમ સરકાર, અધિકતમ શાસન’ના દૃષ્‍ટિકોણને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વનો પ્રયાસ છે.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

બાળકો ઉઠાવી લઈ જવાની શંકા રાખી ચીખલીના ઢોલુમ્‍બર ગામે ભિક્ષા માંગવા આવેલ સાધુઓને ગ્રામજનોએ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

ભાજપના કેન્‍દ્રીય મંત્રી ડૉ. અલકા ગુર્જરના અતિથિ વિશેષ પદે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ‘સંગઠન પર્વ કાર્યશાળા’ યોજાઈ

vartmanpravah

Leave a Comment