April 17, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવ્‍યું : વાપીમાં 300 ઉપરાંત અને નાનાપોંઢામાં 159 દર્દીઓને તપાસાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ સાથે જોડાયેલ વાપીના ડોક્‍ટર સેલ અને નાનાપોંઢાના ડોક્‍ટર સેલના તબીબોએ ભારત રત્‍ન વડા પ્રધાન અટલ બિહારીના જન્‍મ દિનની ઉજવણી નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજીને કરી હતી.
ડિસેમ્‍બર 25 એટલે લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જન્‍મદિન તેમના જન્‍મદિનની ઉજવણી વાપી-નાનાપોંઢાના ભાજપ ડોક્‍ટર સેલના તબીબોએ નિઃશુલ્‍ક બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીશ નિદાન કેમ્‍પ યોજીને કરી હતી. વાપીની વિવિધ હોસ્‍પિટલમાં ડોક્‍ટર સેલના ડો.તુષાર, ડો.પરિત, ડો.સુરેશ ભાનુશાલી, ડો.કૃણાલી પટેલ, ડો.સુનીલ ટેલર જેવા અનેક ડોક્‍ટરોએ સેવા આપી હતી. વાપીમાં 300 ઉપરાંત દર્દીઓના સુગર અને બી.પી. માપવામાં આવ્‍યા હતા તે પ્રમાણે નાનાપોંઢા પંચાયત ઓફીસમાંપણ ડોક્‍ટર સેલ દ્વારા નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં 159 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ડો.દિનેશ ચૌધરી, ડો.મેહુલ પટેલ જેવા તબીબોએ સેવા આપી હતી. કેમ્‍પમાં ભાજપના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

vartmanpravah

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment