Vartman Pravah
Breaking Newsવાપી

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.11
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળા અને ન્‍યૂ સરસ્‍વતી હાઉસ પ્રકાશન દ્વારા ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દીવર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ જે હિન્‍દી લેખક, આકાશવાણી, ઝી સલામ ચેનલ પરથી કવિતા તેમજ ગઝલ પ્રસ્‍તુતિ સાથે સંકળાયેલા છે.
હાલમાં તેઓ દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલ ગ્રેટર નોઇડા, દિલ્‍હીમાં અધ્‍યક્ષ સ્‍થાને તેમજ સી.બી.એસ.ઇ. ના પ્રમુખ રિસોર્સ પર્સન તરીકે કાર્યરત છે . આ વર્કશોપની શરૂઆત શાળાના ટ્રસ્‍ટીગણ તથા વલ્લભાશ્રમની બધી જ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી.પુરાણી સ્‍વામિ શ્રી લક્ષ્મીનારાયણ દાસજી તેમજ ત્‍યાં ઉપસ્‍થિત સર્વો મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ વર્કશોપના પ્રમુખ પ્રવકતા ડોં.વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ એ શિક્ષણક્ષેત્રે બદલાતી પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ હિન્‍દી વિષયને વિદ્યાર્થીઓ માટે વધુ સરળ બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવી હતી. તેઓને ગીત , ગઝલ અને કવિતાઓનું પણ સારું જ્ઞાન હોવાથી તેમણે આ વર્કશોપમાં હિન્‍દી વ્‍યાકરણને ગીત, કવિતાઓ દ્વારા કેવી રીતે સમજી શકાય તે પોતે ગાઈને સમજવ્‍યું હતું.
આ વર્કશોપમાં વલસાડ, વાપી, દમણ, સેલવાસની વિવિધ સ્‍કૂલોમાથી હિન્‍દી વિભાગના શિક્ષકો અને શિક્ષિકાઓકોવિડ-19ના નિયમોનું પાલન કરીને ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી વલ્લભ આશ્રમ ગર્લ્‍સ સ્‍કૂલના ડાયરેક્‍ટર શ્રીમતી તળપ્તિબેન સાકરીયાએ અંતમાં આ વર્કશોપની પ્રસંશા કરી પ્રેરણાદાયક સંદેશ આપ્‍યા અને ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ને ભેટ આપી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી દેવેન્‍દ્ર સિંઘે વર્કશોપની સફળતા માટે ઉપસ્‍થિત બધાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

Leave a Comment