August 31, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રીજતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત બાલ વિકાસ પરિયોજના કાર્યાલય દ્વારા પોષણ અભિયાન અંતર્ગત પાયલોટ બેઝ પર આંગણવાડીનાં 6 મહિના થી 6 વર્ષ સુધીના દરેક લાભાર્થી બાળકોને સૂક્ષ્મ પોષક તત્ત્વો, ઉચ્‍ચ ગુણવત્તા, બુદ્ધિવર્ધક, શક્‍તિવર્ધક બાલશક્‍તિ અને સગર્ભા, ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું બનાવાયેલું મિશ્રણ જે માતાઓ અને બાળકોને સંપૂર્ણ પોષણ મળી રહે તેમજ કુપોષિત નહી રહે તે માટે સંઘ પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અથાક પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. જેનાથી લાભાર્થીઓના આરોગ્‍યને ઘણાં લાભો પ્રાપ્ત થશે.

Related posts

પરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરના બારોલીયામાંઆંગણવાડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

હવે સુરતના પ્રવાસીઓ માટે દમણ દારૂનગરી નહીં પરંતુ પ્રવાસન અને સહેલગાહનું મથક બન્‍યું

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment