રાષ્ટ્રીય અધ્યક્ષ આર.બી.ઓઝાએ સુપ્રત કરેલી જવાબદારીઃ દમણમાં હવે માનવ અધિકાર ચળવળને મળનારી ગતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15: ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટ્સ ગ્રિવન્સિસ એસોસિએશન – એન.જી.ઓ.(અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.બી.ઓઝાએ દમણના અધ્યક્ષ (પ્રોગ્રામ કમીટિ)ના પદ ઉપર યુવા અને જાગૃત કાર્યકર શ્રી રાજેશ આર. વાડેકરની નિયુક્તિની જાહેરાત કરી છે. શ્રી રાજેશ આર. વાડેકરની ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સિસ એસોસિએશનના દમણના અધ્યક્ષ તરીકે કરેલી જાહેરાતને ઠેર ઠેરથી વ્યાપક આવકાર મળી રહ્યો છે. તેઓએ દમણમાં માનવ અધિકારોના સંબંધમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવાનું પણ એલાન કર્યું છે.
જ્યારે શ્રી કેતનકુમાર એ. ભંડારીને દમણના ગ્રિવેન્સિસ કમીટિના અધ્યક્ષ તરીકે જવાબદારી સુપ્રત કરી છે. શ્રી કેતનકુમાર એ. ભંડારીએ પોતાની નિયુક્તિને સાર્થક કરવા તમામ પ્રયાસો હાથ ધરવા વચન આપ્યુંછે.