July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્‍યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત

રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ આર.બી.ઓઝાએ સુપ્રત કરેલી જવાબદારીઃ દમણમાં હવે માનવ અધિકાર ચળવળને મળનારી ગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: ઓલ ઈન્‍ડિયા હ્યુમન રાઈટ્‍સ ગ્રિવન્‍સિસ એસોસિએશન – એન.જી.ઓ.(અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘ)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી આર.બી.ઓઝાએ દમણના અધ્‍યક્ષ (પ્રોગ્રામ કમીટિ)ના પદ ઉપર યુવા અને જાગૃત કાર્યકર શ્રી રાજેશ આર. વાડેકરની નિયુક્‍તિની જાહેરાત કરી છે. શ્રી રાજેશ આર. વાડેકરની ઓલ ઈન્‍ડિયા હ્યુમન રાઈટ્‍સ ગ્રિવેન્‍સિસ એસોસિએશનના દમણના અધ્‍યક્ષ તરીકે કરેલી જાહેરાતને ઠેર ઠેરથી વ્‍યાપક આવકાર મળી રહ્યો છે. તેઓએ દમણમાં માનવ અધિકારોના સંબંધમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવાનું પણ એલાન કર્યું છે.
જ્‍યારે શ્રી કેતનકુમાર એ. ભંડારીને દમણના ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ તરીકે જવાબદારી સુપ્રત કરી છે. શ્રી કેતનકુમાર એ. ભંડારીએ પોતાની નિયુક્‍તિને સાર્થક કરવા તમામ પ્રયાસો હાથ ધરવા વચન આપ્‍યુંછે.

Related posts

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

Leave a Comment