Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ‘મૈં હું મોહન ડેલકર’ નહીં પરંતુ હવે ‘મૈં હું મોદી કા પરિવાર’: પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીની ટકોર

સામે ઉભા રહેલા વિરોધ પક્ષના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરવાના ઈરાદા સાથે કામ કરવા ભરેલો જોશ


શનિવારે સેલવાસના ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે દાનહ બેઠક માટે ભાજપના ઘોષિત થયેલા ઉમેદવાર કલાબેન ડેલકરનું કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : શનિવારે દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરનું દાદરા નગર હવેલી ભાજપના હેડ ક્‍વાર્ટર અટલ ભવન ખાતે શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. શ્રીમતી કલાબેન ડેલકર અને તેમના સુપુત્ર શ્રી અભિનવ ડેલકર સહિત તેમના હજારો ટેકેદારો સાથે સેલવાસના અટલ ભવન ખાતે આવી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ દાનહ ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરના સુપુત્ર શ્રી અભિનવ ડેલકરે ‘મૈં મોહન ડેલકર હું’ના લગાવેલા નારા સામે હવેથી ‘મૈં હું મોદી કા પરિવાર’નો જયઘોષ કરવા ટકોર કરી હતી.તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ એક વિચારધારાવાળી પાર્ટી છે. તેમણે ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરને 48 કલાકની અંદર ભાજપના મુખ્‍ય કાર્યકર્તાઓની પ્રત્‍યક્ષ મુલાકાત લેવા અને ભૂતકાળની વાતો ભૂલી જૂની અને નવી ટીમને એક બની કામ કરવા તાકિદ કરી હતી. તેમણે આ ચૂંટણીમાં ગત પેટા ચૂંટણીમાં મળેલી માર્જીન 51 હજાર કરતા વધુ મતોથી ઐતિહાસિક વિજય મેળવવા માટે કામ કરવા આહ્‌વાન કર્યું હતું.
પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ગુજરાતની ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં જે રીતે વિરોધ પક્ષના ઘણાં ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઈ હતી તે રીતે આ પ્રદેશમાં પણ આપણી સામે કોઈપણ આવે તેની ડીપોઝીટ કેવી રીતે ડૂલ થાય તે રીતે કામ કરવા સલાહ આપી હતી. તેમણે દાદરા નગર હવેલીના તમામ 306 બૂથો ઉપર વિજય મેળવવા પણ લક્ષ્યાંક આપ્‍યો હતો.
આ પ્રસંગે દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાને ટિકિટ આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર પ્રગટ કર્યો હતો. તેમણે ડેલકર પરિવારની ટીમ ભાજપ પરિવાર સાથે મળી આવતા સમયમાં વધુમાં વધુ મતથી વિજેતા બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, સાંસદતરીકે તેમણે પ્રદેશના ઘણાં પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયમાં દરેકની સાથે મળી વિકાસના કામો કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. પ્રદેશના લોકોની ઈચ્‍છા ભાજપની ટિકિટ લાવવાની હોવાથી તેમની લાગણીને ધ્‍યાનમાં લઈ આ નિર્ણય તેમણે લીધો હોવાની નિખાલસ કબૂલાત પણ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના સુપુત્ર શ્રી અભિનવ ડેલકરે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ દાદરા નગર હવેલીના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકરની કરેલી પસંદગી બદલ પાર્લામેન્‍ટરી બોર્ડનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને દાનહ અને દમણ-દીવના બંને ઉમેદવારોને ઐતિહાસિક જીત અપાવી આ બંને બેઠકો પ્રધાનમંત્રીશ્રીને ભેટ ધરવા અનુરોધ કર્યો હતો.

Related posts

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment