(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં ઠાકુર કોમ્પ્લેક્સ પરિસરમાં સુંદર શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, હનુમાનજી તેમજ ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આજે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે કળશયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. ત્યારબાદ વિધિ-વિધાન દ્વારા નવનિર્મિત મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધોહતો.