Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : સેલવાસના નરોલી રોડ પર અટલ ભવનની બાજુમાં આવેલી કમલ પાઠકની ચાલની બંધ રૂમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્‍યો હોવાની વાત આજુબાજુ પ્રસરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મનોજ જગદીશભાઈ કામત (ઉ.વ.55) જેઓ રૂમ નંબર 506, કમલ પાઠકની ચાલ-સેલવાસમાં રહેતો હતો, જેમનો છેલ્લા બે દિવસથી રૂમ અંદરથી બંધ હતો અને ટીવી ચાલુ જ રહ્યું હતું. આજે રવિવારે રૂમમાંથી વાસ આવતા આજુબાજુના લોકોએ રૂમ માલિકને જાણ કરી હતી, પરંતુ રૂમ માલિક ગામ બહાર હોવાથી મનોજભાઈની દીકરીને ટેલિફોનિક જાણ કરી હતી અને જણાવાયું હતું કે, આપના પિતાશ્રી રૂમ ખોલતા નથી. ત્‍યારબાદ સેલવાસ પોલીસને આ ઘટના અંગે જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને રૂમ ખોલીને તપાસ કરતા વાસ મારતો મૃતદેહ મળી આવ્‍યો હતો.
પ્રાથમિક તપાસમાં પગ લપસી જવાથી માથાના ભાગે ઇજા થવાથી મૃત્‍યુ થયુ હોવાનું અનુમાન છે. સેલવાસ પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે મોકલી આપી હતી. આ ઘટનામાં વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

દાનહની નરોલી ગ્રામ પંચાયતે ડેંગ્‍યુ, મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગને ફેલાતો અટકાવવા શરૂ કરેલી કડક કાર્યવાહી

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશ મુલાકાતના સંદર્ભમાં પ્રદેશ ભાજપ ઉદ્યોગ પ્રકોષ્ઠ દ્વારા ઉદ્યમીઓ સાથે કરાયેલું સંવાદ બેઠકનું આયોજન

vartmanpravah

Leave a Comment