Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અત્‍યંત દયનીય બનેલી સેલવાસ-ખાનવેલ રોડની હાલત: વાહનચાલકો, રાહદારીઓ અને સ્‍થાનિક રહેવાસીઓને પડી રહેલી ભારે તકલીફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રસ્‍તાની આજુબાજુમાં રહેતા રહેવાસીઓને ઘણી બધી સમસ્‍યાનો સામનો કરવો પડી રહ્યો છે. સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રોડમાં સામરવરણી કળષ્‍ણા ફાટકથી મસાટ પોલીસ સ્‍ટેશન સુધીનો એક સાઈડનો રોડનું કામ છેલલા ચાર પાંચ મહિનાથી એકદમ સુસ્‍ત હાલતમાં ચાલી રહ્યું છે. આ રસ્‍તા પર અત્‍યાર સુધીમા ફક્‍ત માટી નાખવામાં આવેલ છે. આ માટીના કારણે હાલમાં વરસાદની મૌસમમાં રોડ પર ભારે કાદવ-કીચડ થઈ ગયો છે અને કેટલીક જગ્‍યા પર પાણી ભરેલું રહે છે. એવામાં સવારમાં શાળામાં જનાર વિદ્યાર્થીઓએ ઘણી પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. કીચડ અને પાણીમાં ચાલીને જવામાં સ્‍લીપ થવાની કે પડી જવાની સંભાવના પણ રહેલી છે. હાલમાં જે આ રસ્‍તા પર પડતી સમસ્‍યાનો ઉકેલ લાવવામાં આવે એવી સ્‍થાનિકોની માંગ છે.
આ નવા રસ્‍તાના અધૂરા કામ અને રસ્‍તાની બાજુમાંથી ગટરમાટે કરેલ ખોદકામ બાદ અધુરૂ રાખવામાં આવેલ કામને કારણે જો ભારે વરસાદ પડશે તો રસ્‍તાની આજુબાજુના ઘરોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે, જેનું મુખ્‍ય કારણ એ છે કે હાલમાં જે રસ્‍તો બનાવવામાં આવી રહ્યો છે તેની હાઈટ ચાર ફૂટથી પણ વધારે કરવામાં આવી છે.

Related posts

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment