October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગુજરાત રાજ્‍યમાધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિક બોર્ડની સામાન્‍ય ચૂંટણીનું મતદાન યોજાયું

ખંડ-7 માં 157 અને ખંડ-8 ના 129 મતદારોએ મતદાન કર્યું :
રાજ્‍ય સ્‍તરની કારોબારીની રચના થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ગુજરાત રાજ્‍યની કાર્યરત ગ્રાંટેડ અને નોન ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓ માટેનું બોર્ડ કાર્યરત છે. રાજ્‍ય સ્‍તરના આ બોર્ડની સામાન્‍ય ચૂંટણી આજે વલસાડમાં યોજાઈ હતી. જેમાં વિવિધ સ્‍તરના સભ્‍યોએ મતદાન કર્યું હતું. ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી પણ બોર્ડના સભ્‍ય હોવાથી વલસાડમાં મતદાન કર્યું હતું.
ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક-ઉચ્‍ચત્તર માધ્‍યમિકની કાર્યરત ગ્રાન્‍ટેડ-નોન ગ્રાન્‍ટેડ તમામ શાળાઓનું એક મધ્‍યસ્‍થ બોર્ડ રાજ્‍ય સ્‍તરે કાર્યરત છે. આ બોર્ડમાં ખંડ-7 અને ખંડ-8 ના સભ્‍યોને મતદાન કરવાનું હોય છે. વલસાડ જિલ્લામાં ખંડ-7 માં 157 મતદારો છે અને ખંડ-8 માં 129 મતદારો છે. આ મતદારો સ્‍કૂલ સંચાલક મંડળ, ટ્રસ્‍ટી, આચાર્ય વિગેરેનો સમાવેશ થતો હોય છે. મતદાન બાદ ચૂંટણીના વિજેતા ઉમેદવારો મધ્‍યસ્‍થ કારોબારીની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. માધ્‍યમિક-ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં રાજ્‍યની તમામ શાળાઓના પ્રતિનિધિ હોય છે. શાળા-શિક્ષણની સમસ્‍યા, પ્રશ્નોનું સરકાર સાથે સંકલન કરવાની જવાબદારી બોર્ડ અદા કરે છે.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવ ખાતે બ્રહ્મા કુમારીઝ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક

vartmanpravah

Leave a Comment