Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

ભારતીય ઈતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત અનોખી હિંમતની ગૌરવગાથા ભારતીય સમાજને ધર્મ, નૈતિકતા અને દેશભક્‍તિના માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડે છેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ/દીવ, તા.26
9 જાન્‍યુઆરી, 2022ના રોજ, શિખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના દિવસે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે દર વર્ષે 26 ડિસેમ્‍બરે દેશભરમાં શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો – સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં ‘‘વીર બાલ દિવસ” તરીકે ઉજવવામાં આવશે.
‘‘વીર બાલ દિવસ” ઉપલક્ષમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા પ્રદેશના ત્રણેય જિલ્લા મથકોએ ‘‘વીર બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. દમણ જિલ્લામાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પ્રદેશ કાર્યાલય, નાની દમણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણની અધ્‍યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં બહાદુર બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દમણની સન રાઈઝ સ્‍કૂલઅને વૈદિક ડેન્‍ટલ કોલેજમાં બાળ દિવસ સંબંધિત કાર્યક્રમનું આયોજન દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાની અધ્‍યક્ષતામાં કરવામાં આવ્‍યું હતું, જ્‍યારે સેલવાસના અટલ ભવન અને ખાનવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘‘વીર બાલ દિવસ”ની ઉજવણી કરતા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દમણ ખાતે આયોજીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, દેશ, ધર્મ અને સનાતન સંસ્‍કળતિની રક્ષા માટે મહાન બલિદાન આપનાર ગુરુ શ્રી ગોવિંદ સિંહ મહારાજના ચાર સાહિબજાદાઓ(પુત્રો)ના શહીદ દિવસ ‘‘વીર બાલ દિવસ” પર, હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતીય ઈતિહાસના સુવર્ણ અક્ષરોમાં અંકિત અનોખી હિંમતની આ ગૌરવગાથા ભારતીય સમાજને ધર્મ, નૈતિકતા અને દેશભક્‍તિના માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડે છે.
આજના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત ભાજપના અન્‍ય આગેવાનો અને કાર્યકરોમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશ આગરીયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, ‘‘વીર બાળ દિવસ” કાર્યક્રમના જિલ્લા સંયોજક શ્રી કલ્‍પેશ સીતારામ, દમણ ન.પા. કાઉન્‍સિલર શ્રીમતી જસવિન્‍દર કૌર, દમણ ભાજપ ઓબીસીમોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી પીયુષભાઈ પટેલ, દાનહ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્‍યક્ષ અને હાલના ખાનવેલ વિભાગના સભ્‍ય શ્રીમતી નિશાબેન ભવર, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી રમેશ કડુ અને અન્‍ય કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા દેવકા ઈકોપાર્ક ખાતે 69મા ‘વન્‍યજીવ સપ્તાહ-2023’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment