Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા નેપાલી યુવાને ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : દાદરા નગર હવેલીના રખોલી દત્તુપાડા ખાતે ચાલીમાં રહેતા અને આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતા યુવાને કોઈક અગમ્‍ય કારણસર ગઈકાલ તા.29મીડિસેમ્‍બરના રવિવારે પોતાના રૂમની અંદર જ ગળે ફાંસો લગાવી જીવન ટુંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નિમિત્ત થાપા (ઉ.વ.27) રહેવાસી દત્તુપાડા, રખોલી. જે સેલવાસની આલોક કંપનીની કેન્‍ટીનમાં કામ કરતો હતો જે એના કાકા સાથે ચાલીમાં રહેતો હતો. સવારે કાકા નોકરી પર નીકળી ગયા બાદ રૂમની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે નિમિત્ત થાપાએ ગળે ફાંસી લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી. સાંજે જ્‍યારે એના કાકા નોકરી પરથી પરત ઘરે આવ્‍યા ત્‍યારે જોયું તો નિમિત થાપા રૂમની અંદર જ ગળે ફાંસો લગાવેલી હાલતમાં લટકી રહ્યો હતો, તે જોતા આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસને પણ જાણ કરતા પોલીસકર્મીઓની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

સ્‍વર્ણ પદક વિજેતા આચાર્ય સંજય પંડિત દ્વારા આયોજીત ગુજરાતના સોમનાથ પાટણના શારદાપીઠ ત્રિવેણી સંગમ ખાતે શિવશક્‍તિ મહાયજ્ઞમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે પોતાનીધર્મપત્‍ની સાથે લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

Leave a Comment