October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સેલવાસ નગરપાલિકાના ઓડિટોરિયમ ખાતે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત ‘હિન્‍દી ભાષણ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્‍ય અતિથિ તરીકે પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી. પટિયાલ, સ્‍પર્ધાના નિર્ણાયકો ડો. એ.પી. જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી પવન અગ્રવાલ, સરકારી કોલેજના દમણના વિભાગ અધ્‍યક્ષ ડો. પુખરાજ જાંગીડ તથા મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી ભાવેશ વાળા અને સરીગામના શ્રી રાકેશ રાયનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ શુભ પ્રસંગે મુખ્‍ય અતિથિ પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી.પટિયાલે પોતાના અધ્‍યક્ષીય સંબોધનમાં હિન્‍દી પખવાડા અંતર્ગત આયોજિત હિન્‍દી સ્‍પર્ધાઓ અંગે ખુશી દર્શાવી તમામ સ્‍પર્ધકોને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને તમામ સ્‍પર્ધકોને શુભેચ્‍છા પાઠવતાં રાજભાષા હિન્‍દીના મહત્‍વ વિશે વિશેષ માહિતી આપી હતી. આ પછી, સ્‍નાતક વર્ગ, શાળા-કોલેજોના સહભાગીઓ, વહીવટના વિવિધ વિભાગો, કામદાર વર્ગ અને બિનસરકારી વિભાગ હેઠળ આપવામાં આવેલા વિષયો પર તેમના મંતવ્‍યો રજૂ કર્યા હતા. આ પછી ડો. પુખરાજ જાંગીડે સ્‍પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું અને તમામ નિર્ણાયકોએ રાજભાષા હિન્‍દી વિશે પોતાના મંતવ્‍યો રજૂ કરીને તમામ સ્‍પર્ધકોને અભિનંદન પાઠવ્‍યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતા હિન્‍દી સહાયક ડો. અનીતા કુમારે કાર્યક્રમના અંતે સૌનો આભાર માન્‍યો હતો. આ સ્‍પર્ધામાં સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ અને બિન સરકારી વર્ગના 35 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

Leave a Comment