Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

કેન્‍દ્રિય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી કૌશલ કિશોરે ખાનવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં આપેલી હાજરી

ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ છેવાડેના વ્‍યક્‍તિ સુધી પહોંચાડવા વ્‍યક્‍ત કરાયેલી પ્રતિબધ્‍ધતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : આજે દાદરા નગર હવેલીના ખાનવેલ પંચાયત ખાતે બિરસા મુંડા શાળા પરિસરમાં પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’માં કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિકાસ રાજ્‍યમંત્રી શ્રી કૌશલ કિશોર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સરકારની કેટલીક સિદ્ધિઓ અને વિવિધ યોજનાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી કૌશલ કિશોરે સરકારની વિવિધ વિકાસ યોજનાઓને છેવાડાના લાભાર્થી વ્‍યક્‍તિઓ સુધી પહોંચાડવાની કટિબદ્ધતા દર્શાવી હતી. દરમિયાન તેમણે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ના રથનું અને પ્રચાર સાહિત્‍યનું અવલોકન કર્યું હતું અને સરકારી યોજનાના લાભાર્થીઓને પ્રોત્‍સાહક ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે શાળા પરિસરમાં કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવા માટે સંઘપ્રદેશ પ્રશાસનના વિવિધ વિભાગો દ્વારાસ્‍ટોલ લગાવાયા હતા જેની મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી જેમાં આરોગ્‍ય વિભાગના સ્‍ટોલ પર તબીબી તપાસ પણ કરાવી હતી. ત્‍યારબાદ અત્રે ઉપસ્‍થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્‍ટોલધારકો, લાભાર્થીઓને ‘વિકસિત ભારત’ના શપથ લેવડાવ્‍યા હતા.
આ અવસરે દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, સેલવાસના એ.ડી.એમ. સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસના આર.ડી.સી. શ્રી અમિત કુમાર અને ખાનવેલના આર.ડી.સી. શ્રી શુભાંકર પાઠક, પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહીત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

Leave a Comment