Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામ સ્‍વરાજને મળી રહેલી નવી દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ જિલ્લાના કેટલાક પંચાયત ભવનોના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત વિધિ દરમિયાન સરપંચ શ્રી મુકેશ ગોસાવીની ઉપસ્‍થિતિમાં આજે સંપન્ન કરવામાં આવી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્‍યા પ્રમાણે યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની દમણવાડા ગ્રામ પંચાયતના નવા ભવનના બાંધકામની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. નવા અદ્યતન પંચાયત ભવનમાં ગામના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે પ્રકારની તકેદારી લેવામાં આવી છે. નવું ભવન ખુબ જ વહેલી તકે પૂર્ણ થઈ જશે એવો વિશ્વાસ પણ તેમણે પ્રગટ કર્યો હતો. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દેશના યશસ્‍વીપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ગ્રામ સ્‍વરાજ માટે કરવામાં આવી રહેલા ભગિરથ કાર્યો બદલ આભાર પણ પ્રગટ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પંચાયત સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડાના આગેવાન શ્રી ફકીરભાઈ પટેલ, પટલારાના આગેવાન શ્રી સુભાષભાઈ પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના શ્રી રવુભાઈ બારી, શ્રીમતી દીપિકાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

પૂ.મોરારીબાપુના હસ્તે ધરમપુરના ભગવતાચાર્ય શ્રી શરદભાઇ વ્યાસને “વ્યાસ એવૉર્ડ” અર્પણ

vartmanpravah

દાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્‍યાન મોત

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

પારનેરા પારડી સંકટ હરણ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી પૂ. પ્રફુલભાઈ શુકલની રામ કથામાં ઉજવાયો સીતા-રામ વિવાહ પ્રસંગ

vartmanpravah

Leave a Comment