Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : સેલવાસના સાંઈધામ સોસાયટીમાં રહેતી એક યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર પાંચમા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં નીચે જોરદાર રીતે પટકાતા તેણીને ભારે ઈજાગ્રસ્‍ત થઈ હતી તેથી તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર હિમાંશી જયસીંગ (ઉ.વ.23)એ કોઈક અગમ્‍ય કારણોસર સેલવાસના સાંઈધામ સોસાયટીના બિલ્‍ડિંગના પાંચમા માળેથી કુદકો મારી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હાથ અને પગમાં જ ઇજા થતાં ચમત્‍કારિક રીતે બચાવ થયો હતો. આ યુવતી નીચે પટકાતા સોસાયટીના લોકો દોડી આવ્‍યા હતા અને ઈજાગ્રસ્‍ત થયેલી યુવતીને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવી છે. આ યુવતીએ કયા કારણોસર આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો છે એ જાણી શકાયું નથી. હિમાંશીએ કોલેજ સુધીનો અભ્‍યાસ પૂર્ણ કરી હાલમાં ઘરે જ પરિવાર સાથે રહે છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુતપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોમેન્‍ટ લીમીટેડ (સી.ઈ.ટી.પી ) વાપીને રપ – વર્ષ પૂરા થયા જે અંતર્ગત કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં કર્મચારીઓને પ્રોત્‍સાહન અને મોમેન્‍ટો વિતરણ સમારોહમાં વી.જી.ઈ.એલ ડાયરેકટર અને વી.આઈ.એના માજી પ્રમુખ શ્રી યોગેશભાઈ કાબરીયા વીઆઈ એ સેક્રેટરી અને વાપી ભાજપા પ્રમુખ શ્રી સતિષ પટેલ, વીઆઈએ માજી પ્રમુખ શ્રી પ્રકાશ ભદ્વા, શ્રી રાજુલભાઈ શાહ, વી.જી.ઈ.એલ સીઈઓ જતીન મહેતા હાજર રહી સ્‍ટાફ અને કર્મચારીને પ્રોત્‍સાહીત કર્યા હતા.

vartmanpravah

સરીગામ પંચાયતનુ શાસન અસ્‍થિરતા તરફ: સરપંચ સહદેવ વઘાતના અધ્‍યક્ષતા હેઠળ રજૂ થયેલું બજેટ 9 ની સામે 11 સભ્‍યોની બહુમતીથી નામંજૂર

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment