October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમાન બ્રહ્માની સલાહ માતા-પિતા બાળકોને વેફર, કૂરકૂરે, બિસ્‍કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવાનું બંધ કરશે તો બહુ જલદી સંઘપ્રદેશ કુપોષણથી મુક્‍ત બનશે

દમણવાડાના નંદઘર ખાતે 7મા ‘‘રાષ્‍ટ્રીય પોષણ માસ”નો શુભારંભ અને ‘‘અન્નપ્રાશન દિવસ”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નંદઘર (આંગણવાડી) ખાતે 7મા ‘‘રાષ્‍ટ્રીય પોષણ માસ”નો શુભારંભ અને ‘‘અન્નપ્રાશન દિવસ”ની ઉજવણી સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્માના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્માએ જણાવ્‍યું હતું કે, 6 મહિના પછીના બાળકના ખોરાકની બાબતમાં માતા-પિતા અને પરિવારે ખાસ કાળજી રાખવી જોઈએ. આંગણવાડી કેન્‍દ્રોમાં બાળકને વ્‍યવસ્‍થિત પોષણ આહાર આપવામાં આવે છે. પરંતુ જ્‍યારે તે ઘરે જાય છે ત્‍યારે વેફર, કૂરકૂરે, બિસ્‍કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવો નહીં જોઈએ. કારણ કે, આ પ્રકારના ખોરાકની બાળકને આદત પડી જાય છે જેના કારણે બાળકનો વિકાસ થતો નથી.તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, પ્રદેશમાંથી કુપોષણની બદી ત્‍યારે જ નાબૂદ થઈ શકશે કે જ્‍યારે બાળકના માતા-પિતા જાગૃત બની તેના આહારમાં બહારની ચીજવસ્‍તુઓ કરતા પૌષ્‍ટિક ખાદ્યાન્ન આપવામાં આવે. કુપોષણની સમસ્‍યા ફક્‍ત ગરીબ પરિવારના બાળકોમાં જ નથી પરંતુ સાધન-સંપન્ન પરિવારમાં પણ કુપોષિત બાળકો ઉપરોક્‍ત કારણોસર જોવા મળે છે. તેમણે પ્રશાસન દ્વારા કુપોષણના નાબૂદી માટે શરૂ કરાયેલ અભિયાનની પણ ટૂંકમાં માહિતી આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આભાર વિધિ આટોપતા જણાવ્‍યું હતું કે, મોદી સરકાર બાળકના ગર્ભદાનના સમયથી લઈ પ્રસૂતિ અને તે 6 વર્ષનું થાય ત્‍યાં સુધીની કાળજી લઈ રહી છે. તેમણે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવની આંગણવાડીઓમાં આઈ.એ.એસ. અધિકારીઓ આવે અને માતાઓ સાથે વાતચીત કરે તેવી ઘટના ભૂતકાળમાં ભાગ્‍યે જ બનતી હતી.
પ્રારંભમાં આંગણવાડી સુપરવાઈઝર સુશ્રી શિવાની પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી અને આંગણવાડી વર્કર શ્રીમતી નીતા મહેતાએ 6 મહિનાના બાળકોના ખોરાક બાબતે સમજ આપી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ નાના બાળકોને અન્નપ્રાશન પણ ખવડાવ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાના દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કરાઈ   

vartmanpravah

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

vartmanpravah

દમણ લાયન્‍સ ક્‍લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment